તારીખ 29/07/2026, બુધવાર ના રોજ ફોરમ ઓફ ધ ટીચર્સ ઓફ ઇકોનોમિક્સ, સેન્સસ ઓપરેશન ગાંધીનગર, ગુજરાત અને અર્થશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સંયુક્ત ઉપક્રમે "Introduction Census of India 2027" વિષય પર વિશેષ ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાનમાં ડૉ. સંચિતા સરકાર, (સંયુક્ત નિયામક, જનગણના કામગીરી નિર્દેશાલય, ગાંધીનગર) દ્વારા ભારતની જનગણના 2027 અંગેના નવા અભિગમો, ડિજિટલ વસ્તી ગણતરીની પ્રક્રિયા, તેના ઉદ્દેશ્યો તેમજ સંશોધન અને નીતિ નિર્માણમાં તેના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.